ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને!
ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને!
Published on: 16th June, 2026

ખેડૂતો બાદ હવે ગુજરાતના શિક્ષકો TET પરીક્ષા મુક્તિની માંગણી સાથે મેદાને ઉતર્યા છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય શૈક્ષિક સંગઠનો 17 થી 20 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ પણ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજશે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ, 5 વર્ષથી વધુ નોકરી બાકી હોય તેવા શિક્ષકો માટે TET પાસ કરવી ફરજિયાત છે, જેના વિરોધમાં આ આંદોલન છેડાયું છે.