બનાસકાંઠાના દાંતીવાડાના હરિયાવાડા ગામે મુખ્ય શિક્ષક મુદ્દે શાળાને તાળાબંધી
બનાસકાંઠાના દાંતીવાડાના હરિયાવાડા ગામે મુખ્ય શિક્ષક મુદ્દે શાળાને તાળાબંધી
Published on: 02nd September, 2026

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના હરિયાવાડા ગામમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આલોક મિશ્રાની બદલી મુદ્દે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. શૈક્ષણિક કામગીરીમાં બેદરકારીના આરોપોને પગલે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી છે. TPO દ્વારા બદલીની ખાતરી આપ્યા બાદ પણ મુખ્ય શિક્ષકે ઓર્ડર સ્વીકાર્યો ન હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા છે. બાળકોના અભ્યાસને નુકસાન ન થાય તે માટે ગામના યુવાનો સ્વૈચ્છિક રીતે ભણાવવા તૈયાર થયા છે. આ વિવાદે શિક્ષણ વિભાગમાં પણ હલચલ મચાવી દીધી છે.