વિદ્યાર્થીઓ પુસ્તકો તરફ વળે તે માટે લાઇબ્રેરીમાં નિ:શુલ્ક પ્રવેશ અને વાંચન સ્પર્ધા
વિદ્યાર્થીઓ પુસ્તકો તરફ વળે તે માટે લાઇબ્રેરીમાં નિ:શુલ્ક પ્રવેશ અને વાંચન સ્પર્ધા
Published on: 07th September, 2026

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા 'વાંચે ગુજરાત' ઝુંબેશ અંતર્ગત ધોરણ 6થી 8ના 15 હજાર વિદ્યાર્થીઓ માટે M. J. Library સંલગ્ન ત્રણ શાખા પુસ્તકાલયોમાં નિ:શુલ્ક પ્રવેશ, મેમ્બરશિપ અને પુસ્તકોની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પહેલનો હેતુ બાળકોમાં પુસ્તકો પ્રત્યે રુચિ વધારવાનો, જ્ઞાનનો વ્યાપ વધારવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓએ વાંચેલા પુસ્તકની એક પાનાની નોંધ રાખવાની રહેશે, જેના આધારે શાળા અને શહેર કક્ષાએ વાંચન સ્પર્ધાઓ યોજાશે. આ પ્રોજેક્ટ સિટી સિવિક સેન્સ, ટ્રાફિક અવેરનેસ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં જાગૃતિ લાવશે.