જમ્મુ-કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓમાં 44% ઘટાડો!
જમ્મુ-કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓમાં 44% ઘટાડો!
Published on: 05th August, 2026

જમ્મુ-કાશ્મીર તેની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત હોવા છતાં, આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે પ્રવાસન ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, 2025માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 44% થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, ભારતીય મુસાફરોની સંખ્યામાં પણ લગભગ 23% નો ઘટાડો થયો છે, જે 2024 ની સરખામણીમાં નોંધપાત્ર છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓના આગમનમાં આવેલી આ મંદી ચિંતાનો વિષય બની છે.