જંતર-મંતર સિઝન-2 ટૂંક સમયમાં શરૂ થશે, CJP ફાઉન્ડર અભિજીત દીપકેની મોટી જાહેરાત
જંતર-મંતર સિઝન-2 ટૂંક સમયમાં શરૂ થશે, CJP ફાઉન્ડર અભિજીત દીપકેની મોટી જાહેરાત
Published on: 12th August, 2026

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરોની બેઠક માટે હોલ બુકિંગ કરવા મામલે વિવાદ સર્જાયો છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ શાસક પક્ષ પર હોલ માલિકોને ધમકાવવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ, CJP ટૂંક સમયમાં જંતર-મંતર ખાતે સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે આંદોલનનો બીજો તબક્કો, 'જંતર-મંતર સિઝન 2' હેઠળ દેશવ્યાપી લિસનિંગ ટૂર શરૂ કરશે. 15 ઓગસ્ટથી શિક્ષણના મુદ્દાને પ્રાથમિકતા આપીને ગામડાઓની સરકારી શાળાઓમાં વાલીઓ અને નાગરિકો સાથે મળીને સોશિયલ ઓડિટ અભિયાન ચલાવાશે.