જેને ડેટ કરો તેની સાથે જ લગ્ન જરૂરી નથી: કિયારા અડવાણી
જેને ડેટ કરો તેની સાથે જ લગ્ન જરૂરી નથી: કિયારા અડવાણી
Published on: 16th May, 2026

બોલિવૂડની પાવરફુલ એક્ટ્રેસ અને ન્યૂ મોમ કિયારા અડવાણીએ તાજેતરમાં મોર્ડન રિલેશનશિપ, પેરેન્ટિંગ અને પોતાની નાની દીકરી સારાયાહ મલ્હોત્રાના ભવિષ્યને લઈને એવું નિવેદન આપ્યું છે જેની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. એક પોડકાસ્ટમાં કિયારાએ જણાવ્યું કે, તે પોતાની દીકરી પર ક્યારેય કોઈ પરંપરાગત દબાણ લાવવા નથી માંગતી. તે ઈચ્છે છે કે તેની દીકરી પોતાની જિંદગી મુક્તપણે જીવે અને પોતાની પસંદગી જાતે કરે.