ગુજરાતના દીવાદાંડીઓ મેરિટાઈમ ટુરિઝમમાં નવાં આકર્ષણ બની
ગુજરાતના દીવાદાંડીઓ મેરિટાઈમ ટુરિઝમમાં નવાં આકર્ષણ બની
Published on: 14th August, 2026

ગુજરાત રાજ્યમાં મેરિટાઈમ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ૧૭ ઐતિહાસિક દીવાદાંડીઓ (Lighthouses) ને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવી છે. દેશના સૌથી લાંબા દરિયાકિનારા ધરાવતા ગુજરાતમાં, આ દીવાદાંડીઓને પ્રવાસન, સંસ્કૃતિ અને દરિયાઈ વારસાના જીવંત કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવી છે. અહીં પ્રવાસીઓ માટે કૅફેટેરિયા, બગીચા, ઍમ્ફિથિયેટર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, અને લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. દ્વારકા અને ગોપનાથ ખાતે 'લાઇટહાઉસ મ્યુઝિયમ' પણ સ્થાપવામાં આવ્યા છે.