પંચમહાલના ગોધરાના બામરોલી ખુર્દ ગામમાં સ્મશાન માર્ગ પર પાણી
પંચમહાલના ગોધરાના બામરોલી ખુર્દ ગામમાં સ્મશાન માર્ગ પર પાણી
Published on: 14th August, 2026

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામમાં તંત્રની બેદરકારી સામે આવી છે. ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાથી ચોમાસામાં ગ્રામજનોને પોતાના સ્વજનની અંતિમયાત્રા ઘૂંટણસમા મેશરી નદીના પાણીમાંથી કાઢવી પડે છે. રસ્તા પર પાણી ભરાવાથી રોજબરોજની અવરજવરમાં પણ ભારે હાલાકી થાય છે. વર્ષોથી રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં આક્રોશ છે. તાત્કાલિક નાળુ/કોઝવે બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.