જામનગર લોકમેળામાં 5 લાખથી વધુ લોકોની ભીડ
જામનગર લોકમેળામાં 5 લાખથી વધુ લોકોની ભીડ
Published on: 08th September, 2026

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા શ્રાવણી લોકમેળામાં સાતમથી દસમ સુધીના ચાર દિવસમાં પાંચ લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમી અને તહેવારોના દિવસોમાં મેદાનમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. મોટી રાઈડ્સ, રમકડાં, અને ખાણીપીણીના સ્ટોલ પર લોકોએ મોડી રાત સુધી આનંદ માણ્યો. સુરક્ષા અને પાણી જેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, અને ખોવાયેલા બાળકો તથા વસ્તુઓ પણ પરત અપાયા હતા, જેનાથી મેળો સુરક્ષિત અને આનંદમય રહ્યો.