એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’નો રસપ્રદ ખુલાસો
એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’નો રસપ્રદ ખુલાસો
Published on: 06th June, 2026

દિગ્ગજ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી અને સુપરસ્ટાર મહેશ બાબુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વારાણસી’ની વાર્તાનો ખુલાસો થયો છે. લેખક વિજયેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, આ ફિલ્મનો મુખ્ય આધાર ભગવાન રામ અને કુંભકર્ણ વચ્ચેના શક્તિશાળી સંઘર્ષ પર હશે. મલ્ટિસ્ટારર ફિલ્મમાં મહેશ બાબુ ભગવાન રામ અથવા તેમને લગતું પાત્ર ભજવશે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન કુંભકર્ણ અથવા તેના પર આધારીત પાત્રમાં જોવા મળશે. પ્રભાસની 'કલ્કી'ની જેમ મોર્ડન ટચ સાથે આઈમેક્સ ફોર્મેટ અને ભવ્ય VFX નો ઉપયોગ કરવામાં આવશે.