પેપર લીક, કથળતી શિક્ષણ વ્યવસ્થા: NSUIનું 'છાત્રો કી ગુંજ' અભિયાન
પેપર લીક, કથળતી શિક્ષણ વ્યવસ્થા: NSUIનું 'છાત્રો કી ગુંજ' અભિયાન
Published on: 10th July, 2026

અમદાવાદમાં NSUI એ શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને વારંવાર થતા પેપર લીક મુદ્દે 'છાત્રો કી ગુંજ' અભિયાન શરૂ કર્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 22 થી વધુ અને દેશમાં 89 થી વધુ પેપર ફૂટી ગયા છે. NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીક થવાને કારણે ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. NSUI ની માંગ છે કે પેપર લીક સામે કડક કાયદો બને, NTA જેવી ખાનગી સંસ્થા બંધ થાય અને શિક્ષણ મંત્રી રાજીનામું આપે. આ અભિયાન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે.