આખરે અંબાલાલ પટેલ માની ગયા, ખેડૂતોના હિતમાં ફરી આગાહી કરશે
આખરે અંબાલાલ પટેલ માની ગયા, ખેડૂતોના હિતમાં ફરી આગાહી કરશે
Published on: 14th July, 2026

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે મોટો યુ-ટર્ન લીધો છે. કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ તેઓ ફરીથી હવામાનની આગાહી કરશે. ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ અગાઉની જેમ જ આગાહી આપતા રહેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપી દાવો કર્યો છે કે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. કાયદાકીય ગૂંચ દૂર થતાં ફરી આગાહી કરવાનો નિર્ણય લેવાયો છે.