અમરેલીના લાઠીમાં એનાલોગ પનીરના વેચાણ સામે SOGના દરોડા
અમરેલીના લાઠીમાં એનાલોગ પનીરના વેચાણ સામે SOGના દરોડા
Published on: 11th August, 2026

રાજ્ય સરકારના એનાલોગ પનીરના વેચાણ પરના પ્રતિબંધ બાદ અમરેલી જિલ્લામાં કડક અમલવારી શરૂ કરાઈ છે. અમરેલી SOGની ટીમે લાઠી શહેરમાં બે દુકાનો પર દરોડા પાડી 19 કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો. ચામુંડા ડેરી ફાર્મ અને એક કેક શોપમાંથી મળેલ આ જથ્થાના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે SOG દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.