આનંદ નિકેતન સ્કૂલ વિવાદ: DEOની આચાર્ય અને કેન્ટીન સામે કડક કાર્યવાહીનો આદેશ
આનંદ નિકેતન સ્કૂલ વિવાદ: DEOની આચાર્ય અને કેન્ટીન સામે કડક કાર્યવાહીનો આદેશ
Published on: 12th August, 2026

અમદાવાદની શીલજ સ્થિત Anand Niketan School માં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવા અને અન્ય ધર્મના પુસ્તકો ફરજિયાત વંચાવવાના આક્ષેપો બાદ DEO રોહિત ચૌધરીએ શાળા પ્રશાસનને કારણદર્શક નોટિસ પાઠવી છે. પ્રાથમિક તપાસમાં શાળાની બેદરકારી સ્પષ્ટ જણાતાં, જ્યાં સુધી ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી કેન્ટીન બંધ રાખવા અને પ્રિન્સિપાલ સહિત જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. DEOએ શહેરની અન્ય શાળાઓની કેન્ટીનોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગની જાહેરાત કરી છે.