અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
Published on: 20th August, 2026

અમદાવાદના બહેરામપુરા Murder Caseમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. યુવતીની છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના ઝઘડામાં યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2018માં થયેલી આ ઘટનામાં આરોપીના પુત્ર દ્વારા છેડતી અને મ્યુઝિકના મુદ્દે થયેલી તકરાર બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખીને કનૈયાલાલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી. કાગડાપીઠ પોલીસની સઘન તપાસ અને પુરાવાઓને આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે.