સુરતમાં રેગિંગકાંડ: HOD ડૉ. સુમૈયા મુલ્લા પર હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી અને ધર્મ પરિવર્તન માટે દબાણના ગંભીર આરોપો
સુરતમાં રેગિંગકાંડ: HOD ડૉ. સુમૈયા મુલ્લા પર હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી અને ધર્મ પરિવર્તન માટે દબાણના ગંભીર આરોપો
Published on: 20th August, 2026

સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં સસ્પેન્ડ કરાયેલા માઇક્રોબાયોલોજી વિભાગના HOD ડૉ. સુમૈયા મુલ્લા વિરુદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ડૉ. મુલ્લા હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા હતા અને વિદ્યાર્થીઓને કલમા પઢવા તથા નમાજ અદા કરવા દબાણ કરતા હતા. એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, તેને રૂમમાં લઈ જઈ નમાજ પઢવા મજબૂર કરાઈ, જેના લીધે તેને આત્મહત્યાના વિચાર આવવા લાગ્યા હતા. પરીક્ષા વખતે વીડિયો શૂટિંગ અને કરિયર બગાડવાનો પ્રયાસ પણ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ. મુલ્લાએ એક મેડમને "હિન્દુ ધર્મ ટૂંક સમયમાં પૂરો થઈ જશે, મુસ્લિમ બની જાઓ" એમ કહ્યું હોવાનો પણ આરોપ છે.