ગુજરાત ATS ની મોટી કાર્યવાહી: રથયાત્રા પહેલા 7 આતંકીઓની ધરપકડ
ગુજરાત ATS ની મોટી કાર્યવાહી: રથયાત્રા પહેલા 7 આતંકીઓની ધરપકડ
Published on: 14th July, 2026

ગુજરાત ATS એ રથયાત્રા પૂર્વે એક મોટી સફળતા મેળવી છે. પાટણ અને બનાસકાંઠામાંથી 7 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ જૈશ-એ-મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા અને યુવાનોને કટ્ટરવાદી બનાવવા માટે તાલીમ આપવાનું ષડયંત્ર રચતા હતા. તેમના ઘરેથી જૈશ-એ-મોહમ્મદના ધ્વજ, પુસ્તકો અને રોકડ મળી આવ્યા છે. ATS વધુ તપાસ કરી રહી છે.