બેદરકાર જુનાગઢ મનપાના નેતાઓએ માનવતા પણ નેવે મુકી!
બેદરકાર જુનાગઢ મનપાના નેતાઓએ માનવતા પણ નેવે મુકી!
Published on: 03rd September, 2026

જુનાગઢ મહાનગરપાલિકા હેઠળ વૃક્ષ કાપવાની કામગીરી દરમિયાન 40થી 50 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયેલા 20 વર્ષીય ઋષિ વર્માનું સારવાર દરમિયાન મોત થયું. ઋષિને કોઈપણ જાતની સેફ્ટી કિટ વિના ઊંચાઈ પર ચડાવવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સારવારનો ખર્ચ પણ એજન્સી કે મનપા દ્વારા નહીં, પરંતુ ઋષિની બાકી રહેલી લહેણી રકમમાંથી જ ચૂકવાયો છે. ઘટનાની જાણ બાદ પણ જવાબદાર અધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી નથી કે આર્થિક સહાય અંગે કોઈ કાર્યવાહી કરી નથી. પરિવાર દ્વારા ફોજદારી ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.