જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન,
જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન,
Published on: 03rd September, 2026

ગુજરાતી સંગીત જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું છે. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને 500થી વધુ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા. તેમના પિતા અવિનાશ વ્યાસ પણ જાણીતા સંગીતકાર હતા. ગૌરાંગ વ્યાસે લોકસંગીત, ભજન, રાસ-ગરબા જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. 'ભજન અનમોલ', 'લવની ભવાઈ' જેવા અનેક આલ્બમ અને ફિલ્મોમાં તેમનું સંગીત યાદગાર રહ્યું છે. GIFA તરફથી તેમને ગોલ્ડન એવોર્ડ પણ મળ્યો હતો.