છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા
Published on: 24th June, 2026

છોટાઉદેપુર જિલ્લાના કંડા ગામમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના વહેમને કારણે એક 55 વર્ષીય મહિલાની ક્રૂર હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાડોશી સુરેન્દ્રસિંહ પરમારે મીનાબેન પરમાર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં કદવાલ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વૈજ્ઞાનિક તથા ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં આરોપીએ તાંત્રિક વિધિની શંકાના કારણે હત્યા કર્યાનું બહાર આવ્યું છે.