સાબરમતી નદીમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા
સાબરમતી નદીમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા
Published on: 24th June, 2026

અમદાવાદના વાસણા બેરેજમાં 10.15 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવવા અને 10 દરવાજાનું રીપેરીંગ કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કામગીરી માત્ર 35 દિવસમાં રેકોર્ડબ્રેક ગતિએ પૂરી થઈ છે. આધુનિક ટેકનોલોજી અને 460 મેટ્રીક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરીને યુદ્ધના ધોરણે આ કાર્ય પૂર્ણ કરાયું છે. સિવિલ સ્ટ્રક્ચરને પણ મજબૂત બનાવાયું છે, જેથી ભવિષ્યમાં પાણીના દબાણ સામે બેરેજ સુરક્ષિત રહે. હવે ચોમાસા પહેલા તમામ 30 દરવાજા સંપૂર્ણ રીતે કાર્યરત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.