રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
Published on: 24th June, 2026

રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક ફ્લેટમાંથી 'આપ' કાર્યકર નંદની બોસમીયાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી. તેણે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાનો મેસેજ લખ્યો હતો, પરંતુ પરિવારે તેને હત્યા ગણાવી, આયોજનબદ્ધ રીતે આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના પિતાએ જણાવ્યું કે, મૃતદેહ મળ્યો ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને પાછળનો બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો, જે હત્યા તરફ ઈશારો કરે છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને તપાસ હાથ ધરી છે.