છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ
છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ
Published on: 24th June, 2026

છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે-56 અને સ્ટેટ હાઈવે-62 પર આવેલા અનેક બ્રિજોની સાઈડ દિવાલોમાં ઝાડ, ઝાંખરા અને વેલાઓ ઉગી નીકળતાં બ્રિજોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ છોડના મૂળિયા દિવાલોને નુકસાન પહોંચાડી બ્રિજને જર્જરિત બનાવી શકે છે. જિલ્લામાં ઘણા બ્રિજોના સમારકામ છતાં યોગ્ય જાળવણી થતી નથી. ચોમાસા દરમિયાન વધુ પાણી મળતાં આ વૃક્ષો ઝડપથી વિકસે તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠી છે.