દાહોદની સરજૂમી વનવાસી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11નો પ્રવેશોત્સવ સંપન્ન.
દાહોદની સરજૂમી વનવાસી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11નો પ્રવેશોત્સવ સંપન્ન.
Published on: 27th June, 2026

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સરજૂમી ગામની વનવાસી માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર જનરલ એન.એન. ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું અને SSC, HSC તેમજ ધોરણ 9-11માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. તાલુકા કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા.