ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
Published on: 27th June, 2026

ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ટાવરથી ઝારોલાવગા દ્વારકાધીશ મંદિર સુધી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ખોદેલા મોટા ખાડાઓને સુરક્ષા વિના ખુલ્લા છોડી દેવાયા છે. નિયમો મુજબ જરૂરી બેરિકેડ કે ચેતવણી બોર્ડ નથી. મુખ્ય માર્ગ પર રાત્રે અંધારામાં વાહનચાલકો ખાડામાં પડી શકે છે. સ્થાનિકોએ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.