રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
Published on: 27th June, 2026

રાજકોટ-જેતપુર હાઈવે પર કામ અધૂરું અને રસ્તા બિસ્માર હોવા છતાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. પાટણના કોંગ્રેસ MLA ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ પ્રજા સાથેની ખુલ્લી લૂંટ ગણાવી તાત્કાલિક તપાસની માંગ કરી છે. હાઈવે પર પુલોના કામ અધૂરા અને જોખમી ડાયવર્ઝનથી લોકો પરેશાન છે. સુવિધા વિના ટોલ વસૂલાતની પરવાનગી કોણે આપી તેવો સવાલ ઉઠાવી, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવા અને કસૂરવારો સામે પગલાં લેવાની માંગ કરી છે.