ગોધરાના સિમલીયા કૉલેજમાં NCC કેડેટ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
ગોધરાના સિમલીયા કૉલેજમાં NCC કેડેટ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
Published on: 15th August, 2026

ગોધરાના ઘોઘંબા તાલુકામાં આવેલ એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયાના NCC દ્વારા NCC ઓફીસર ડૉ. મનહરકુમાર મકવાણાના માર્ગદર્શન હેઠળ આજરોજ હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત ભારતના 80 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગા યાત્રા યોજાઇ હતી. સિમલીયા ગામમાં આ યાત્રા ફ્રી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીન, સ્ટાફ્ગણ, NCCના કેડેટ્સ ઉપરાંત વિધાર્થીઓ મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા.