ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન
પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે TET મુદ્દે સુપ્રીમ કોર્ટના 29 મે 2026ના ચુકાદા સામે ગોધરામાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. સંઘના જણાવ્યા મુજબ, સેવામાં રહેલા શિક્ષકોને 31 ઓગસ્ટ 2028 સુધી TET લાયકાત મેળવવાની શરતથી હજારો અનુભવી શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે. શિક્ષકોએ વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી હોવા છતાં હવે કારકિર્દી, બઢતી અને નિવૃત્તિ લાભોને લઈને અનિશ્ચિતતા ઉભી થઈ છે. સંઘે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હસ્તક્ષેપ કરી શિક્ષકો માટે છૂટછાટ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન વ્યવસ્થા અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે.
ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન
ભાવનગર મેડિકલ કૉલેજમાં 13 જુનિયરો પર 6 સિનિયરો દ્વારા 'તાલિબાની સજા'.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચ મહિનાથી 6 સિનિયર તબીબો દ્વારા 'તાલિબાની સજા' આપવામાં આવી રહી હોવાનો ગંભીર રેગિંગ કાંડ પ્રકાશમાં આવ્યો છે. પીડિતોએ ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ એન્ટી રેગિંગ સ્કવોર્ડ તપાસ કરી રહી છે. આરોપી સિનિયરો દર મહિને અઢી લાખ રૂપિયા પડાવતા, દારૂ મંગાવતા અને જુનિયરોને હોસ્પિટલની બહાર નીકળવા દેતા નહોતા. તેમને જમવા કે સૂવાનો સમય પણ મળતો નહોતો અને 15 દિવસ સુધી ન્હાવા પણ દીધું નહોતું. કૂકડા બનાવવા, એક પગે ઊભા રાખવા અને રેડિયેશનથી બચવા જરૂરી લેડ એપ્રન ન પહેરવા દઈ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા.
ભાવનગર મેડિકલ કૉલેજમાં 13 જુનિયરો પર 6 સિનિયરો દ્વારા 'તાલિબાની સજા'.
ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે.
ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે. 20 જૂન સુધી હળવોથી મધ્યમ વરસાદ અને 23થી 26 જૂન દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદની શક્યતા છે. 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની આશા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. અલનીનોની અસર છતાં, આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના બદલાયા સૂર.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે યોજાયેલી જનકલ્યાણ શિબિર દરમિયાન AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓના વખાણ કર્યા. સામાન્ય રીતે સરકાર પર આકરા પ્રહારો કરતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓને અનિવાર્ય ગણાવી લોકોને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિપક્ષી ધારાસભ્ય દ્વારા શાસક પક્ષની યોજનાઓના મંચ પરથી કરાયેલા આ વખાણ પાછળ કોઈ નવું રાજકીય સમીકરણ આકાર લઈ રહ્યું છે કે કેમ, તે અંગે પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના બદલાયા સૂર.
UK વર્ક વિઝાના નામે કોલેજ લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી!
વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં ફરજ બજાવતા એક મહિલા લેક્ચરર સાથે UK વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને લંડન સ્થિત એજન્ટે મોટી છેતરપિંડી આચરી છે. વિઝા પ્રોસેસના નામે કટકે-કટકે 35 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધા બાદ, માત્ર 62 હજાર રૂપિયા પરત આપી બાકીના 34.39 લાખ રૂપિયા ચાંઉ કરી ગયા. ભોગ બનનાર મહિલાએ UK સ્થિત ધવલ ગડાણી નામના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
UK વર્ક વિઝાના નામે કોલેજ લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી!
અમદાવાદમાં NEET પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં 17 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં NEETની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETના માત્ર ત્રણ દિવસ પહેલાં આ દુર્ઘટના બની. વિદ્યાર્થીના અચાનક અંતિમ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી, પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં NEET પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં 17 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત
સુરતના અડાજણના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ!
સુરતના અડાજણ ચાર રસ્તા નજીક એપોલો ફાર્મસીમાં ભીષણ આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે ટીવીએસ ઈવી શો-રૂમ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી ફેલાઈ, જેના કારણે પાર્ક કરેલા 15થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા. પાંચ ફાયર સ્ટેશનોની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
સુરતના અડાજણના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ!
ચોમાસાનું આગમન: કેરળ, તમિલનાડુથી દિલ્હી, પંજાબ અને ગુજરાત સુધી વરસાદની આગાહી
દેશમાં ચોમાસાની ગતિ તેજ બની રહી છે, દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારતના રાજ્યો સુધી વરસાદની અસર જોવા મળી રહી છે. કેરળ અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ભારે વરસાદની પણ શક્યતા છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર, હિમાલય ક્ષેત્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ વરસાદ ચાલુ રહી શકે છે. ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વાદળોની અવરજવર સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
ચોમાસાનું આગમન: કેરળ, તમિલનાડુથી દિલ્હી, પંજાબ અને ગુજરાત સુધી વરસાદની આગાહી
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં પોણા છ ઇંચ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સૌથી વધુ 147 મીમી (5.79 ઇંચ) વરસાદ બાલાસિનોરમાં નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં પોણા છ ઇંચ
એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY27) ના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ-મે દરમિયાન ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ વાર્ષિક ધોરણે ૮% વધીને ૪.૫૧ અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. જોકે, પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ચોખા તેમજ ફળો અને શાકભાજીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે.ડાયરેક્ટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, એપ્રિલ-મે દરમિયાન ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ ૪૫% ના જબરદસ્ત વધારા સાથે ૧.૧૮ અબજ ડૉલર થઈ ગઈ છે.
એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો
અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને મળ્યા લાખોના પેકેજ
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં 1000થી વધુ વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી છે. આ વર્ષે 227 કંપનીઓએ ભાગ લીધો, જે એક રેકોર્ડ છે. વિદ્યાર્થીઓને ₹25.93 લાખ સુધીનું હાઈએસ્ટ પેકેજ hackerrank દ્વારા ઓફર કરવામાં આવ્યું. IT અને કોર બ્રાન્ચમાં મોટી સંખ્યામાં પ્લેસમેન્ટ થયા. 88% વિદ્યાર્થીઓને ઓન-કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું, જેમાં 20% વિદ્યાર્થીઓને 7 લાખથી વધુનું વાર્ષિક પેકેજ પ્રાપ્ત થયું. આ સિદ્ધિ કોલેજના ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમોનું પરિણામ છે.
અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને મળ્યા લાખોના પેકેજ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં ઘટ, 15 ઓગસ્ટ બાદ વરસાદની તેજીની આગાહી
ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસવાની તારીખ વીતી ગઈ છે અને ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે અને ચોમાસું મોડું બેસશે. જોકે, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 15 ઓગસ્ટ પછી આવનાર વરસાદ જૂન-જુલાઈમાં થયેલી ઘટને સરભર કરી શકે છે. અલનીનોની અસર ઓછી રહેશે, જ્યારે પોઝિટિવ IOD ગુજરાતને ફાયદો કરાવશે, જે 15 ઓગસ્ટ બાદ સારા વરસાદી રાઉન્ડ લાવશે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં ઘટ, 15 ઓગસ્ટ બાદ વરસાદની તેજીની આગાહી
'દીકરા તારા માટે પાકીટ ભરી રૂપિયા લાવી, પાછો આવી જા': વડોદરા અકસ્માતમાં માતા સામે 9 વર્ષના પુત્રએ દમ તોડ્યો
હાલોલ-વડોદરા હાઇવે પર કોટંબી નજીક થયેલા ભયાનક બસ-ટ્રક અકસ્માતમાં 8 લોકોના મોત થયા અને અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા. આ દુર્ઘટનામાં 9 વર્ષના પ્રીતનું તેની માતાની નજર સામે જ મોત થયું, જ્યારે તેની માસીના હૈયાફાટ રુદને હોસ્પિટલમાં સૌને ભાવુક કરી દીધા. અકસ્માતમાં બસના ડ્રાઇવર મુકેશભાઈ અને તેમના મિત્ર ટ્રક ક્લીનર સુરેશભાઈ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો, જેના કારણે તેમના નાના સંતાનો પિતાની છત્રછાયા વિના રહ્યા. રાજસ્થાનથી સુરત જઈ રહેલી બસમાં સર્જાયેલા આ અકસ્માત બાદ SDRF, NDRF અને ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.
'દીકરા તારા માટે પાકીટ ભરી રૂપિયા લાવી, પાછો આવી જા': વડોદરા અકસ્માતમાં માતા સામે 9 વર્ષના પુત્રએ દમ તોડ્યો
વડોદરાના કરજણ ધાવટ ચોકડી પાસે બસ સ્ટેશન પર શેડનું નિર્માણ કાર્ય શરૂ
વડોદરાના કરજણ નેશનલ હાઇવે 48 પર ધાવટ ચોકડી ખાતે વડોદરા અને ભરૂચ જતા બંને દિશાના એસટી બસ સ્ટેન્ડ પર શેડ બનાવવાનું કામ શરૂ થયું છે. અહીં રોજ હજારો મુસાફરો, જેમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તેમને તીવ્ર તાપ અને વરસાદમાં બસની રાહ જોવી પડતી હતી. એક જાગૃત નાગરિકની રજૂઆત અને પ્રેસ મીડિયા દ્વારા થયેલા સમાચારો બાદ આ કામગીરી હાથ ધરાઈ છે, જેનાથી મુસાફરોમાં ખુશીનો માહોલ છે. મુસાફરોએ શૌચાલયની સુવિધાની પણ માંગ કરી છે.
વડોદરાના કરજણ ધાવટ ચોકડી પાસે બસ સ્ટેશન પર શેડનું નિર્માણ કાર્ય શરૂ
ડભોઇમાં વરસાદી કાંસ બનાવવાની ધીમી ગતિ
ડભોઇના નાંદોદી ભાગોળ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં ખેતરોમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાના નિરાકરણ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા વરસાદી કાંસ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ, આ કામ અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લગભગ ૧૦૦ થી ૧૫૦ વિઘા જમીનમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, જેના કારણે ગટર અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જાય છે. મુખ્યમંત્રી સુધી રજુઆત બાદ કામ મંજુર થયું હોવા છતાં, કામગીરીમાં ઢીલથી આ વર્ષે પણ પાણીનો પ્રશ્ન યથાવત રહેશે તેવી ભીતિ છે.
ડભોઇમાં વરસાદી કાંસ બનાવવાની ધીમી ગતિ
પંચમહાલ જન કલ્યાણ શિબિર: અનેક યોજનાઓના ચેકનું વિતરણ
જાંબુઘોડા ખાતે યોજાયેલ જન કલ્યાણ શિબિરમાં જયદ્રથસિંહજી પરમાર અને મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના ચેકનું વિતરણ કરાયું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાજનો સુધી જન કલ્યાણ યોજનાઓની માહિતી પહોંચાડવાનો અને વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનો છે. આયુષ્યમાન ભારત, વય વંદના, પીએમ, સૂર્ય ઘર યોજના, અને સ્વનિધિ યોજના જેવી યોજનાઓની માહિતી અને નોંધણી કરવામાં આવી. બાળકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દિવ્યાંગોને પણ આરોગ્ય સંબંધિત માહિતી આપવામાં આવી.
પંચમહાલ જન કલ્યાણ શિબિર: અનેક યોજનાઓના ચેકનું વિતરણ
દાહોદના સંજેલી તાલુકાના હીરોળામાં જનકલ્યાણ શિબિર
રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવા અને આરોગ્ય સેવાઓ દ્વાર સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સંજેલી તાલુકાના હીરોળા ગામે એક વિશાળ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખ મહેદીપ પલાસ દ્વારા લાભાર્થીઓને PMJAY (આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરાયું. આયોજનમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોને યોજનાઓની માહિતી અને નોંધણીની સુવિધા મળી.
દાહોદના સંજેલી તાલુકાના હીરોળામાં જનકલ્યાણ શિબિર
ગોધરામાં મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ, યુવા એસોસિએશન અને મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશાળ પદયાત્રા-રેલીનું આયોજન કરાયું હતું, જેનું પ્રસ્થાન સાયન્સ કોલેજ ગોધરાથી થયું. ન્યૂઇરા હાઈસ્કૂલ ખાતે આવેલી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બેન્ડ સાથેનો સજાવેલો ટેબ્લો સૌનું આકર્ષણ બન્યો હતો. રાજપૂત અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો.
ગોધરામાં મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
લુણાવાડામાં રાજપૂત સમાજે શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની જન્મજયંતી ભવ્ય રીતે ઉજવી
સ્વાભિમાન અને શૌર્યના પ્રતિક વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે લુણાવાડા ખાતે રાજપૂત સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કોટેજ ચોકડી પાસે આયોજિત આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો અને માતૃશક્તિ મોટી સંખ્યામાં જોડાયા હતા. મહારાણા પ્રતાપની પ્રતિમા-તસવીર પર ફુલહાર અર્પણ કરી ભાવભીની વંદના કરાઈ હતી. સમાજના વડીલોએ તેમના જીવનના પ્રેરક પ્રસંગો અને બલિદાનની ગાથા વર્ણવી હતી. આ અવસરે સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કારના મહત્વ પર ભાર મુકાયો હતો.
લુણાવાડામાં રાજપૂત સમાજે શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની જન્મજયંતી ભવ્ય રીતે ઉજવી
પંચમહાલમાં સંભવિત પૂર સામે સજ્જતા: યોજાઈ વિશેષ મોકડ્રીલ, સુરક્ષા સુનિશ્ચિત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામ પાસે સીમલેટ બેટ ખાતે ચોમાસામાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક વિશેષ સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવું, શોધ-બચાવ અને સુરક્ષિત સ્થળાંતરની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો હતો. SDRF ની ટીમે બોટ અને અન્ય સાધનો વડે ફસાયેલા લોકોને બચાવ્યા અને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું નિદર્શન કર્યું.
પંચમહાલમાં સંભવિત પૂર સામે સજ્જતા: યોજાઈ વિશેષ મોકડ્રીલ, સુરક્ષા સુનિશ્ચિત
સાબરકાંઠાના પ્રાંતિજ નજીક સ્કોર્પિયોનું ટાયર ફાટતા અકસ્માત
પ્રાંતિજ તાલુકાના તાજપુર નજીક નેશનલ હાઇવે પર સ્કોર્પિયો ગાડીનું પાછળનું ટાયર અચાનક ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગાડી ડિવાઇડર સાથે અથડાઈને આગળ જઈ રહેલા આઈસર સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં સ્કોર્પિયોના ચાલકને માથાના ભાગે ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી હાઇવે ઓથોરિટીની ટીમે વાહનોને ખસેડી ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજ નજીક સ્કોર્પિયોનું ટાયર ફાટતા અકસ્માત
કાલોલમાં મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
કાલોલ શહેરમાં વીર યોદ્ધા મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ. છત્રીસ પરગણા રાજપૂત યુવા સંગઠન અને કાલોલ ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ. આ ઉજવણી સ્વાભિમાન અને પ્રેરણાદાયી જીવન કાર્યોને યાદ કરવાનો અવસર બની. ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સહિત અનેક આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી.
કાલોલમાં મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
મોટાકોટડામાં BSNL મોબાઇલ ટાવર બંધ, 10 દિવસથી લોકોને હાલાકી
ઇડર તાલુકાના મોટાકોટડા ગામમાં BSNLનો મોબાઇલ ટાવર છેલ્લા 10 દિવસથી બંધ રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો સહિત મોબાઈલ ધારકોને નેટવર્ક કવરેજ ન મળવાથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતોને ઓનલાઈન સરકારી યોજનાઓ અને સબસિડી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં ઓટીપી ન મળવાને કારણે યોજનાઓના લાભથી વંચિત રહેવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ટાવર વારંવાર બંધ રહે છે, પરંતુ આ વખતે 10 દિવસથી સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
મોટાકોટડામાં BSNL મોબાઇલ ટાવર બંધ, 10 દિવસથી લોકોને હાલાકી
લુણાવાડા મામલતદાર કચેરીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી
મહીસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરીની ATVT શાખામાં વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે, વિદ્યાર્થીઓ અને વાલીઓ વિવિધ દાખલાઓ માટે ઉમટી રહ્યા છે. પરંતુ, કચેરીમાં માત્ર એક જ ટેબલ કાર્યરત હોવાથી અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. આ કારણે, ખાસ કરીને ગરમીમાં, નાના બાળકો અને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. દૂર-દૂરથી આવતા ગરીબ પરિવારો સમયસર કામ ન થતાં નિરાશ થઈને પરત ફરે છે.
લુણાવાડા મામલતદાર કચેરીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી
ખેડબ્રહ્મા, સુનોખમાં વરસાદી ઝાપટાં પડયાં
ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગરમીનો પ્રકોપ વધતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગત રાત્રીના સુમારે શહેરમાં અચાનક વાતાવરણ પલટો આવતા કાળા ડીબાગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઊપરાંત અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાંસેરાકંપા, નવાવક્તાપુર, શોભાયડા સહિતના વિસ્તારોમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ બુધવારે મોડી સાંજે પોણા આઠ વાગ્યાના સમયે અમી છાંટણા રૂપી વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ખેડબ્રહ્મા, સુનોખમાં વરસાદી ઝાપટાં પડયાં
દાહોદ ખાતે સહપ્રભારીની હાજરી છતાં નગરસેવકોની પાંખી સંખ્યા
દાહોદમાં સહ પ્રભારી મંત્રીની હાજરીમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં નગરસેવકોની ઓછી હાજરી ચર્ચાનો વિષય બની હતી. પાલિકામાં ભાજપના 20 નગરસેવકો હોવા છતાં કાર્યક્રમમાં માત્ર થોડા જ સભ્યો હાજર રહ્યા હતા. સહ પ્રભારી મંત્રીએ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ બાબતની નોંધ લઈને ટકોર કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સ્થાનિક સ્તરે સંગઠનના કાર્યક્રમોમાં નગરસેવકોની નિષ્ક્રિયતા અંગે પક્ષના આંતરિક વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે, જ્યારે ચૂંટણી નજીક આવતાં આ મુદ્દો વધુ મહત્વનો બની શકે છે.
દાહોદ ખાતે સહપ્રભારીની હાજરી છતાં નગરસેવકોની પાંખી સંખ્યા
માંડલને વર્ષો બાદ મળશે નવું સરકારી પુસ્તકાલય, વાંચનપ્રેમીઓમાં ખુશી
માંડલ નગરમાં વર્ષોથી બંધ પડેલા પુસ્તકાલયની ખંડેર હાલત શિક્ષણવિદો અને વાંચનપ્રેમીઓ માટે ચિંતાનો વિષય હતી. તાલુકા મથક તરીકે વિકાસ પામતાં માંડલ માટે પુસ્તકાલયની તાતી જરૂરિયાત હતી. આખરે, સરકારે માંડલ તાલુકા પંચાયત પાછળ રૂપિયા 20 લાખના ખર્ચે અદ્યતન પુસ્તકાલય ફાળવ્યું છે. જેમાં ધાર્મિક, સાહિત્ય, કાયદા અને રોજગારલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકાલયનું લોકાર્પણ તા. 18 ગુરુવારે થશે.
માંડલને વર્ષો બાદ મળશે નવું સરકારી પુસ્તકાલય, વાંચનપ્રેમીઓમાં ખુશી
મોડાસામાં પીવાના કૂવા નજીક શૌચાલય નિર્માણથી સ્થાનિકોમાં રોષ
મહીસાગર જિલ્લાના કોઠંબા ગામે પીવાના પાણીના કૂવા પાસે જાહેર શૌચાલયનું નિર્માણ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીના મુખ્ય કૂવાની નજીક શૌચાલય બનાવવાથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર ખતરો ઊભો થયો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ હાલ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. શૌચાલય અને પાણીના સ્ત્રોત વચ્ચે ૧૦૦ મીટરના અંતરની સરકારી ગાઈડલાઈન (GDCR) હોવા છતાં તેનું પાલન થયું નથી. ભવિષ્યમાં ગંદકી અને દૂષિત પાણી કૂવામાં ભળી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.
મોડાસામાં પીવાના કૂવા નજીક શૌચાલય નિર્માણથી સ્થાનિકોમાં રોષ
અમદાવાદના કોઠ લૂંટના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસે કોઠ ગામમાં થયેલી લૂંટના ગંભીર ગુનાનો ભેદ ઉકેલીને ત્રણ આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં, ગત 14મીએ શખ્સોએ એક ઘરમાં ઘૂસી દંપતીને ઇજા પહોંચાડી હતી અને સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને શિહોરીપુરા ગામ પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જેનાથી તપાસ વધુ આગળ વધી રહી છે.
અમદાવાદના કોઠ લૂંટના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા
દાહોદમાં બે જૈન આચાર્ય ભગવંતોનું ઐતિહાસિક મિલન
દાહોદ શહેરમાં જૈન સમાજના બે પૂજ્ય ગુરુ ભગવંતો, આચાર્યશ્રી 108 સુનિલ સાગરજી મહારાજ અને આચાર્યશ્રી 108 પ્રસન્ન સાગરજી મહારાજનું સ્ટેશન રોડ જૈન નસીયાજી ખાતે ઐતિહાસિક મિલન યોજાયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં બંને ગુરુ ભગવંતોએ એકબીજાને ગળે મળતાં ભાવભર્યો માહોલ સર્જાયો હતો. બેન્ડવાજા અને પરંપરાગત વેશભૂષા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરીજનોએ આ ક્ષણોને મોબાઇલમાં કેદ કરી હતી. બાદમાં બંને ગુરુ ભગવંતોના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીર શેરી પુષ્પદંત નિલય પહોંચી હતી.
દાહોદમાં બે જૈન આચાર્ય ભગવંતોનું ઐતિહાસિક મિલન
૧૩૮ કરોડની ડ્યુટી ચોરી: સુરતના વેપારી સહિત પાંચ ઝડપાયા
નવી મુંબઈના ન્હાવા શેવા ખાતે અખરોટની આયાતમાં રૂ. ૧૩૮.૮૪ કરોડની કસ્ટમ્સ ડ્યુટી ચોરીનું મોટું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં સુરતના વેપારી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ‘ઓપરેશન કો-ફાઈન્ડ’ હેઠળ આ સિંડિકેટનો પર્દાફાશ થયો, જે ચીન, યુએસ અને ચિલીથી આવેલા માલને UAEના જેબેલ અલી થઈને અફઘાનિસ્તાનમાંથી આવતો હોવાનું ખોટું દર્શાવી SAFTA હેઠળ લાભ મેળવી રહ્યા હતા. બોગસ દસ્તાવેજો દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી હતી.