કાલોલમાં મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
કાલોલમાં મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
Published on: 18th June, 2026

કાલોલ શહેરમાં વીર યોદ્ધા મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ. છત્રીસ પરગણા રાજપૂત યુવા સંગઠન અને કાલોલ ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ. આ ઉજવણી સ્વાભિમાન અને પ્રેરણાદાયી જીવન કાર્યોને યાદ કરવાનો અવસર બની. ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સહિત અનેક આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી.