મધ્યાહન ભોજન યોજના: 38 લાખ બાળકોના પોષણ પર ખતરો
મધ્યાહન ભોજન યોજના: 38 લાખ બાળકોના પોષણ પર ખતરો
Published on: 11th June, 2026

રાજ્યની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે છેલ્લા બે મહિનાથી કઠોળ, દાળનો પુરવઠો અને ગ્રાન્ટ ન મળતા 38 લાખથી વધુ બાળકોના પોષણ પર ગંભીર અસર પડી રહી છે. PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે કહ્યું છે કે જો તાત્કાલિક ગ્રાન્ટ અને પુરવઠો શરૂ નહીં થાય તો યોજના સંચાલકો ભોજન સેવા બંધ કરશે. પુરવઠા અને શિક્ષણ વિભાગ વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી ચાલી રહી છે, જેના કારણે બાળકોને પૂરતો પ્રોટીનયુક્ત આહાર મળી રહ્યો નથી.