હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી?
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી?
Published on: 15th July, 2026

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રથમ આરતીના પ્રોટોકોલને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર દ્વારા આ અધિકારમાં ફેરફાર કરવાની જાહેરાતથી તિરુમલા દેવસ્થાનમ (TTD) બોર્ડ નારાજ છે. પરંપરાગત રીતે, આ અધિકાર મૈસૂરના મહારાજનો હતો, જે રાજ્ય સરકારના સ્પેશિયલ ઓફિસર દ્વારા નિભાવવામાં આવતો હતો. હવે શિવકુમાર ઈચ્છે છે કે ધારાસભ્યો, સાંસદો અને જજોને પણ આ આરતીનો મોકો મળે, જે TTD બોર્ડના સભ્ય Bhanu Prakash Reddyએ 'વ્યક્તિગત મંદિર' ન હોવાનું કહીને ટીકા કરી છે. ભાજપે પણ આને રાજકીય ચાલ ગણાવી વિરોધ કર્યો છે.