એક હજાર વર્ષ જૂની ભોજશાળાનું ગુજરાત કનેક્શન.
એક હજાર વર્ષ જૂની ભોજશાળાનું ગુજરાત કનેક્શન.
Published on: 30th May, 2026

મધ્યપ્રદેશની વિવાદિત ભોજશાળા-કમાલ મૌલા પરિસર અંગે ASIના 2190 પાનાના વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ બાદ હાઇકોર્ટે તેને રાજા ભોજના સમયના વાગ્દેવી (સરસ્વતી) મંદિર તરીકે માન્યતા આપી અને હિંદુ પક્ષને પૂજાનો અધિકાર આપ્યો. રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો કે સૈયદ કમાલુદ્દીન ચિશ્તીનું મૃત્યુ ઈ.સ. 1310માં કર્ણાવતી (હાલનું અમદાવાદ)માં થયું હતું અને તેમના અવસાનના 204 વર્ષ બાદ તેમના નામે મકબરો બનાવાયો હતો. ASIએ 98 દિવસના સંશોધન દરમિયાન અનેક પુરાતત્વીય પુરાવાઓ એકત્ર કરીને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો.