જામનગર શહેરમાં મેઘરાજાની ફરી હાથતાળી
જામનગર શહેરમાં મેઘરાજાની ફરી હાથતાળી
Published on: 15th July, 2026

જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ હોવા છતાં મેઘરાજા મનમુકીને વરસ્યા નથી. કાળા ડિબાંગ વાદળો અને ઠંડક પ્રસરી રહી છે, પરંતુ નોંધપાત્ર વરસાદની ગેરહાજરીથી લોકો અને ખેડૂતોમાં નિરાશા છે. ગઈકાલે બપોર બાદ સારા વરસાદની આશા જાગી હતી, પરંતુ માત્ર સામાન્ય છાંટા અને ઝાપટાં જ નોંધાયા. લાલપુર વિસ્તારમાં પણ નજીવો વરસાદ થયો. વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત છે અને ખેતી માટે પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાદળછાયું વાતાવરણ યથાવત છે.