મેંદરડામાં કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ યોજાયો
મેંદરડામાં કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ યોજાયો
Published on: 28th June, 2026

કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ અંતર્ગત મેંદરડા સ્થિત ગાયત્રી વિનય મંદિર અને પે-સેન્ટર શાળાના ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારના ઉપસચિવ આદિત્ય દેશાઈ, નાયબ જિ.પ્રા.શિ.અધિકારી વાણવી, શિક્ષણ નિરિક્ષક રણવીરસિંહ પરમાર, જિ.પં. પૂર્વ પ્રમુખ હરેશ ઠુંમર, મેંદરડા સરપંચ જે.ડી.ખાવડું તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકુમાર મકવાણાએ બાલવાડી, ધો.10, ધો.9 તથા ધો.11 માં દિકરા-દિકરીઓને પ્રવેશ અપાવી તેમજ વૃક્ષારોપણ કરી સરકાર બોક્સ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.