હિંમતનગરમાં ચતુર્માસ માટે મુનિ મહારાજના સંઘનું ભવ્ય સામૈયું કરાયું
હિંમતનગરમાં ચતુર્માસ માટે મુનિ મહારાજના સંઘનું ભવ્ય સામૈયું કરાયું
Published on: 19th July, 2026

જૈન સંપ્રદાય માટે ચતુર્માસનું વિશેષ મહત્વ છે. શનિવારે, મુનિ મહારાજ અને અન્ય અનુયાયીઓ હિંમતનગરમાં ચતુર્માસ ગાળવા માટે પધાર્યા, ત્યારે તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. પ.પૂ. યોગતિલક સુરીશ્વરજી મ.સા.ની નિશ્રા હેઠળ, ભાવેશ ભંડારીએ સંસાર ત્યાગીને દિક્ષા લીધા બાદ મુનિરાજ શ્યાદ્દવાદ તિલક વિજયજી બન્યા. તેઓ મુનિ મહારાજ હેત તિલક વિજયજી સાથે જૈન સંઘમાં આવ્યા, જ્યાં જ્ઞાતિજનોએ તેમનું સ્વાગત કર્યું. હવે તેઓ જૈન રામાયણ ગ્રંથ પર દરરોજ પ્રવચન આપશે.