સાબરકાંઠાની ખાસ લોક અદાલતમાં 405 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો
સાબરકાંઠાની ખાસ લોક અદાલતમાં 405 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો
Published on: 19th July, 2026

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 હેઠળના કલમ 138 સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે સાબરકાંઠાની તમામ અદાલતોમાં એક ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ 405 કેસોનું સમાધાન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં વકીલો, પક્ષકારો અને બાર એસોસિયેશનના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.