છોટા ઉદેપુરના નસવાડીના 50થી વધુ ગામોમાં વીજળી ગુલ
છોટા ઉદેપુરના નસવાડીના 50થી વધુ ગામોમાં વીજળી ગુલ
Published on: 12th August, 2026

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 50થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. શીરા ફીડર હેઠળ આવતા ગામોમાં ગત મંગળવારથી વીજળી ન હોવાથી પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. ઉપરાંત, દીપડાના ભયને કારણે રાત્રિ દરમિયાન અંધારામાં લોકો ભયભીત છે. ગ્રામજનો સરપંચોની આગેવાનીમાં MGVCLની કચેરી પહોંચ્યા, પરંતુ અધિકારીઓ હાજર ન મળતા સૂત્રોચ્ચાર કર્યા. વારંવાર પ્રયાસ છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતાં તેઓ રાતભર કમ્પાઉન્ડમાં બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે.