ભુજમાં પથ્થરમારા બાદ ગેરકાયદે વીજ જોડાણો સામે પોલીસની મોટી કાર્યવાહી
ભુજમાં પથ્થરમારા બાદ ગેરકાયદે વીજ જોડાણો સામે પોલીસની મોટી કાર્યવાહી
Published on: 31st May, 2026

કચ્છના ભુજ તાલુકાના રાયધણપર ગામે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક પગલાં લીધા છે. આ ઘટના સાથે સંકળાયેલા અને ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે PGVCLની મદદથી ૧૩ જેટલા આવા મકાનોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખ્યા છે અને વીજચોરીના કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ઉપરાંત, સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો દૂર કરવા પણ નોટિસ આપવામાં આવી છે.