રાજકોટના થોરિયાળીમાં જળબંબાકાર
રાજકોટના થોરિયાળીમાં જળબંબાકાર
Published on: 02nd August, 2026

રાજકોટના પડધરી તાલુકાના થોરિયાળી ગામમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામલોકોના જણાવ્યા અનુસાર, વોકળા પર થયેલા દબાણને કારણે તેનું પાણી ગામમાં અને ઘણા મકાનોમાં ઘુસી ગયું છે. સરપંચે તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાયાનો દાવો કર્યો છે. ગ્રામજનોએ વોકળા પરના દબાણનો કેસ જીત્યો હોવા છતાં માર્ગ ખુલ્લો ન થતાં આ હાલાકી ભોગવવી પડી રહી છે. ભવિષ્યમાં વધુ વરસાદથી મોટી આપત્તિ સર્જાઈ શકે છે.