અમદાવાદના સાબરમતી સ્ટેશન પુનઃવિકાસ 2027 સુધીમાં સ્માર્ટ સુવિધાઓ સાથે ધમધમતું થશે
અમદાવાદના સાબરમતી સ્ટેશન પુનઃવિકાસ 2027 સુધીમાં સ્માર્ટ સુવિધાઓ સાથે ધમધમતું થશે
Published on: 12th August, 2026

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનનો રૂ.334 કરોડના ખર્ચે પુનઃવિકાસ અંતિમ તબક્કામાં છે. મુખ્ય બિલ્ડિંગ કાર્યરત થઈ ગયું છે, જેમાં ટિકિટિંગ, રિઝર્વેશન, વેઈટિંગ એરિયા, લિફ્ટ, એસ્કેલેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. 7 પ્લેટફોર્મ, વિશાળ કોન્કોર્સ, ડિજિટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ, CCTV, ફૂડ પ્લાઝા, પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જોકે, પ્લેટફોર્મ શોધવામાં મુસાફરોને હાલ કેટલીક મૂળભૂત સુવિધાઓમાં મુશ્કેલી પડી રહી છે.