સુરતમાં ₹6,800ની સહાય, અસરગ્રસ્તોના પ્રશ્ન: 'નવું ઘર કેવી રીતે વસે?'
સુરતમાં ₹6,800ની સહાય, અસરગ્રસ્તોના પ્રશ્ન: 'નવું ઘર કેવી રીતે વસે?'
Published on: 11th July, 2026

સુરત શહેરમાં ખાડીપૂરના કારણે હજારો પરિવારો પાયમાલ થયા છે. વહીવટી તંત્ર 9,100થી વધુ પરિવારોનો સર્વે પૂર્ણ અને ₹6,800ની સહાય ચૂકવવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ, અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે કોઈ સર્વે માટે આવ્યું જ નથી. અધિકારીઓ ઘરની અંદર જોયા વિના માત્ર પાણીના ફૂટ પૂછીને આંકડા નોંધી ચાલ્યા ગયા. ₹6,800ની સહાયમાં નવું ઘર કે ઘરવખરીનું નુકસાન ભરપાઈ થતું નથી. તંત્રની ગણતરી પદ્ધતિ અને વળતર પણ અપૂરતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.