નર્મદા કેનાલના ગેટ વળી જતાં જળસંકટનું જોખમ
નર્મદા કેનાલના ગેટ વળી જતાં જળસંકટનું જોખમ
Published on: 11th July, 2026

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નર્મદા કેનાલના 48 નંબરના ગેટ પર તંત્રની બેદરકારી સામે આવી છે. કેનાલના ગેટનો જોઈન્ટ તૂટતાં પાણી બગાડ રોકવા લોખંડના પાટિયા મૂકાયા હતા, પણ પાણીના ભારે દબાણથી ગેટ પણ વળી ગયા. આનાથી આગામી દિવસોમાં મોટું જળસંકટ ઊભું થવાની શક્યતા છે. 'વણીયાદ્રી ફિલ્ટર પાણી યોજના' બંધ થતાં અનેક ગામો તેમજ બોડેલી નગરમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.