વડોદરાના કરોળિયા રોડ પર ગંદા પાણી અને ડ્રેનેજની સમસ્યાએ રહીશોને પરેશાન કર્યા
વડોદરાના કરોળિયા રોડ પર ગંદા પાણી અને ડ્રેનેજની સમસ્યાએ રહીશોને પરેશાન કર્યા
Published on: 11th July, 2026

વડોદરા શહેરના વોર્ડ 8માં કરોળિયા રોડ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની અને દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. વૃંદાવન ચોકડી નજીકની છ સોસાયટીઓમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે. છેલ્લા બે મહિનાથી આ ગંદુ પાણી સોસાયટીના મુખ્ય માર્ગો પર ફેલાઈ રહ્યું છે, જેના કારણે તીવ્ર દુર્ગંધ અને અવરજવરમાં મુશ્કેલી છે. સ્થાનિકો મુજબ, ગંદકી અને દૂષિત વાતાવરણથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. ડ્રેનેજનું પાણી પાણીની લાઈનમાં ભળવાથી ઘરોના નળમાં કાળા રંગનું પાણી આવી રહ્યું છે.