સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો
સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો
Published on: 08th July, 2026

સુરતમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થતાં ભાજપના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું કે, 'બેઠકો ઘણી, પણ આયોજન શૂન્ય' છે. લાખો લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે, અને ગયા વર્ષની સમીક્ષા માત્ર કાગળ પર રહી છે. ટેક્નિકલ સર્વે કરીને પાણી ડાયવર્ટ કરવાની જરૂર છે, પરંતુ આયોજનના અભાવે લોકો મુશ્કેલીમાં છે. તેમણે વહીવટી તંત્રની નિષ્ફળતા પર ભાર મૂક્યો અને કાયમી ઉકેલ લાવવાની માગ કરી.