પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV થયું ક્રેશ
પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV થયું ક્રેશ
Published on: 08th July, 2026

પોરબંદરના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ એરિયલ વેહિકલ(UAV) ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ દુર્ઘટના પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં બની હતી. UAV આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાતા દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જણાય છે.