પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ચોથો કેસ
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ચોથો કેસ
Published on: 03rd August, 2026

પાટણમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક ચોથો કેસ નોંધાયો છે. સંખારી ગામના મોહનપુરા વિસ્તારમાં સાત વર્ષીય બાળકી આ વાયરસથી સંક્રમિત થઈ છે. તેને ગંભીર લક્ષણો જણાતા ધારપુર હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે વિસ્તારમાં દવા અને ડસ્ટિંગનો છંટકાવ શરૂ કર્યો છે. કાચી દીવાલો અને ઢોર-ઢાંખર રાખવાની જગ્યાઓને રોગચાળાનું મુખ્ય કારણ ગણાવી, નાગરિકોને સ્વચ્છતા રાખવા અને દીવાલોનું પ્લાસ્ટર કરાવવા અપીલ કરાઈ છે.