કફ સિરપ હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે, સરકારનો મોટો નિર્ણય
કફ સિરપ હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે, સરકારનો મોટો નિર્ણય
Published on: 16th June, 2026

ભારતમાં કફ સિરપના ગેરકાયદેસર વેચાણ અને સ્વાસ્થ્ય જોખમોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કફ સિરપ ડોક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે નહીં. આ નિર્ણય બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા અને દવાઓના દુરુપયોગને અટકાવવા માટે લેવાયો છે. 'ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, 2026' હેઠળ, સિરપ OTC વેચી શકાશે નહીં. પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી થશે.