રીંગણનું શાક ખાધા પછી એક જ પરિવારની 3 બહેનોના દર્દનાક મોત!
રીંગણનું શાક ખાધા પછી એક જ પરિવારની 3 બહેનોના દર્દનાક મોત!
Published on: 24th August, 2026

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં એક જ પરિવારની ત્રણ નાની સગીર બહેનો, પૂનમ (7), મનીષા (3), અને ચાહત (9 મહિના) ના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. રાત્રિભોજનમાં રીંગણનું શાક ખાધા બાદ બાળકીઓની તબિયત અચાનક બગડી હતી, તેમને ઝાડા અને ઉલટી થયા હતા. હોસ્પિટલ લઈ જવાયા બાદ ટૂંકી સારવારમાં જ ત્રણેય બાળકીઓએ દમ તોડી દીધો. પોલીસ ફૂડ પોઈઝનિંગ અથવા ખોરાકમાં ઝેર ભળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે, જેમાં ભોજનના સેમ્પલ પણ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે.