IVF સારવાર દરમિયાન એનેસ્થેસિયા બાદ ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત
IVF સારવાર દરમિયાન એનેસ્થેસિયા બાદ ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત
Published on: 16th September, 2026

મહેસાણાના વાણી IVF સેન્ટરમાં 33 વર્ષીય રમીલાબેન ચાવડાનું IVF સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારનો આક્ષેપ છે કે એનેસ્થેસિયા આપ્યા બાદ ડોક્ટરની બેદરકારીના કારણે રમીલાબેનનું હૃદય બંધ થઈ ગયું અને તેમનું મૃત્યુ થયું. 10 દિવસથી IVFની સારવાર ચાલી રહી હતી અને 15મી સપ્ટેમ્બરે ઓપરેશન સમયે આ ઘટના બની. ડોકટરો અને સ્ટાફ પરિસ્થિતિ ન સંભાળી શકતાં તેમને અન્ય ICUમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને કાયદેસર કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.