નવરાત્રિ ડોમમાં વ્યક્તિદીઠ 1 ચો.મી. જગ્યા અને 2 ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત!
નવરાત્રિ ડોમમાં વ્યક્તિદીઠ 1 ચો.મી. જગ્યા અને 2 ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત!
Published on: 17th September, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે નવરાત્રિ મહોત્સવ માટે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. એરકન્ડિશન્ડ ડોમ ધરાવતા પાર્ટી પ્લોટ્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સલામતી સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આયોજકોએ વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા ફાળવવી પડશે અને ઓછામાં ઓછા બે 'ઇમરજન્સી એક્ઝિટ' રાખવા પડશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, મંડપના પડદા અને કાર્પેટ ફાયર રીટાર્ડન્ટ હોવા જરૂરી છે. દરેક 100 ચોરસ મીટર વિસ્તાર માટે ફાયર એક્સ્ટિંગ્વિશર, પાણી અને રેતીની વ્યવસ્થા કરવી પડશે, તથા તાલીમબદ્ધ સ્વયંસેવકો તૈનાત રાખવા પડશે.